ધોરાજી માનવ સેવા યુવક મંડળને ૩૯મુ ચક્ષુદાન મળ્યુ
ધોરાજી તા. ર૧ :.. જુનાગઢ રોડ પર પટેલભાઇની વાડીએ રહી ખેતીકામ કરતા શંભુભાઇ મંગુભાઇ સોલીયા ઉ.૩૦ ઠાકુર રહે ધોરાજી મુળ એમ. પી. ટકાખલ વાળાનું દુઃખદ અવસાન થતા ચક્ષુદાન અંગે વાત કરતા ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે ડો. જયેશ વેસેટીયન, ડો. અંકીતાબેન પરમાર, તેમજ સ્વ. શંભુભાઇના સગાઓ રાજૂભાઇ ખીમલે રાજૂભાઇ ડાવર, અહલ્યાબેન સત્યા અને સુંદરબેન સત્યા સહિતનાઓએ સ્વ.ના ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળને સોંપતા ચક્ષુઓને રાજકોટ સ્થીત જી. ટી. શેઠ આંખની હોસ્પીટલ ખાતે મોકલાયા હતાં.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલા સોલંકી સ્વ.ના સ્વજનોનો આભાર માનેલ હતો અને સ્વ.ને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા માનવ સેવા યુવક મંડળને ૩૯મું ચક્ષુદાન મળેલ છે. અને આ તકે ધોરાજી જામકંડોરણા ઉપલેટા અને આજુ બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચક્ષુદાન સેવાઓ ચાલુ છે. આ અંગે માનવ સેવા યુવક મંડળનો ફોન નં. ૯૮૯૮૭ ૦૧૭૭૪, મો. ૯૮૯૮૭ ૧પ૭૭પ કોન્ટેક કરવા જણાવેલ હતું.