જામનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોકસંવાદ અભિવાદન
જામનગર : વોર્ડ નં. ૧ માં બેડેશ્વર રામ મંદિર ચોકમાં લોકસંવાદ તથા અભિવાદન કાર્યક્રમમાં હકુભા જાડેજાએ કહયું કે વિતેલા પાંચ વર્ષમાં વોર્ડ નં. ૧ ના વિકાસ કાર્યો માટે મે ભરપુર ગ્રાન્ટ ફાળવી હતી અને આગામી વર્ષોમાં પણ આ વોર્ડના સરવાનગી વિકાસ માટે મારા તરફથી ભરપુર ગ્રાન્ટ આપવામાં આવશે. વોર્ડ નં. ૧ ને શહેરના અન્ય વિસ્તારોની જેમ સંપૂર્ણ સુવિધા યુકત બનાવાનું મારો સંકલ્પ છે. વોર્ડ નં. ૧ ના મતદારોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઇએ તે અપાવવા માટે હું સતત છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન સક્રિય રહેલ અને આ વિસ્તારના લોકોને વધુમાં વધુ વિકાસના કામો મારી ગ્રાન્ટમાંથી કરાવ્યાં છે અને આવનારા સમયમાં આ વિસ્તારના જે પ્રાથમિક સુવિધાઓ બાકી છે તે અપાવા આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો, સામાજીક આગેવાનો સાથે રાખી વિકાસથી વંચીત આ વિસ્તાર પણ પછાત ન રહે તેવા અમારા પ્રયાસો હશે. શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, ઉમરભાઇ ચમડીયા, હુસેનાબેન અનવરભાઇ સંઘાર, વોર્ડના પ્રમુખ અસગરભાઇ જેડા, વોર્ડ પ્રભારી સંજયભાઇ મકવાણા, મુકેશભાઇ ડાભી, સંજયભાઇ રાજાણી, રમેશભાઇ, અકબરભાઇ કકલ, ઇબ્રાહીમભાઇ સંધી, સલેમાનભાઇ સુમરા, હનીફભાઇ સુમરા, સીદીકભાઇ ગંઢાર, ભીખુભા જાડેજા, રાજભા જાડેજા, હમીદાબેન ચૌહાણ, ખેગાંરજી જાડેજા, ભારાભાઇ રબારી, અજીતભાઇ સંધી, ડાડાભાઇ વાઢેર, અસગરબાપુ બુખારી, રજાકબાપુ, ઇબ્રાહીમભાઇ કેર, ગુલામભાઇ કુંગડા, કાસમ જેડા, ઘનશ્યામભાઇ જાડેજા, વિનય જાની, દિનેશભાઇ માલધારી, યોગેશભાઇ લીંબડ, ધીરજભાઇ રાઠોડ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષયભાઇ દવે, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)