સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

ભાવનગર જીલ્લામાં ૧૨ નવા કોરોના પોઝીટીવ નોંધાયા : કુલ સંખ્યા ૬૦૧૧ : જીલ્લામાં ૬૯ દર્દીના મોત થયા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર,તા.૨૧ : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૧૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં જેસર તાલુકાનાં બેડા ગામ ખાતે ૧ તેમજ ઘોઘા ખાતે ૧ કેસ મળી કુલ ર લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૩ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૧૧ કેસ પૈકી હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૯૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:48 am IST)