માણાવદરમાં ‘આપ'ની પરિવર્તન યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત : પ્રજાહિતની સુવિધા આપવા ખાત્રી
(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર,તા. ૨૦ : આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાના નામે આજે માણાવદર તાલુકામાં બાંટવા તથા માણાવદર બંને શહેરમાં યાત્રા યોજાય હતી. જેનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત થયું હતું. વેપારીઓ પણ જાગૃત થઇ અનેક સ્થળે ભવ્ય સ્વાગત કરતા જોવા મળ્યા છે.
આ ઉપરથી કહી શકાય કે લોકો પરિવર્તન ઇચ્છી રહવાની નિશાની તો નથી ને ? આ પરિવર્તન યાત્રામાં સિનેમા ચોકમાં ડો.આંબેડકરજીની પ્રતિમાને હારતોટા તથા ગાંધીજી પ્રતિમાને () ઇશુદાન ગઢવીએ કર્યો હતા. તથા વેપારીઓને કહ્યુ કે જનતા જો સાચા મુદ્દાઓ ઉપર શિક્ષણ, આરોગ્ફ સહિત પરિવર્તન ઇચ્છતી હોય તો આપ પાર્ટીને મતદાન કરે તથા આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઇને સંગઠન મજબુત કરે તેમ જણાવ્યુ હતું.
અમો પ્રજા હિતમાં લોકોની સારી સુવિધાઓ આપવાનુ વચન આપ્યુ હતુ આ પ્રસંગે તાલુકા પ્રમુખ રાજુભાઇ સહિત તાલુકા ટીમ જોડાઇ હતી. લોકોમાં ચર્ચા થઇ રહી હતી કે એક વખત આને તક આપવી જોઇએ.