News of Friday, 19th August 2022
જન્માષ્ટમીના દિવસે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી.
મોરબીમા શ્રીકૃષ્ણજન્મોત્સવ નિમિતે ભવ્ય શોભયાત્રા મોરબીના મુખ્ય માર્ગો પર નીકળી હતી , આવે વખતે શહેરના અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા દ્રશ્યો વાહન મારફત આ શોભાયાત્રામાં જોડાયા છે,આ તકે ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા. મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,મોરબી નગર પાલિકાના પ્રમુખ કે કે પરમાર, પ્રદેશ કારોબારી સભ્ય અનિલભાઈ મહેતા રુચિરભાઈ કારીયા, નરેન્દ્રભાઈ પોપટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી શોભાયાત્રા દર્શનનો લાભ, તેમજ પુરા મોરબી શહેરમાં અને દરેક વિસ્તારોમાં શોભાયાત્રા અને ભગવાન શ્રીકૃષ્ણના હાથે મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા.
(8:45 pm IST)