News of Thursday, 19th May 2022
હળવદની દુર્ઘટનાના હતભાગીઓના પરિવારજનોને પૂ. મોરારિબાપુની સહાય
ચારધામ યાત્રાના ૩૯ લોકોનાં મૃતકોના પરિવારને સહાય પહોંચાડવામાં આવશે
મોરબી જિલ્લાના હળવદ ખાતેની એક ફેકટરીમાં દિવાલ ધસી પડવાથી ૧૨ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રી હનુમાનજીની સાંતવના રુપે પ્રત્યેકના પરિવારજનોને રૂ.૫૦૦૦ ની સહાય મોરારિબાપુ એ મોકલાવેલ છે જે સુરેન્દ્રનગર ના રામકથા ના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે.
અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે અને તે યાત્રા દરમ્યાન અત્યાર સુધીમાં ૩૯ લોકોનાં મૃત્યુ થયાં છે. આ હતભાગી વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવી રહી છે. આ યાયાત્રામાં મ્રુત્યુ પામેલા લોકોને પણ સંવેદના રુપે પ્રત્યેકના પરિવાર ને 5000 ની સહાય પહોંચાડવામાં આવશે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
(7:22 pm IST)