પતિએ ગળાફાંસો ખાધો
પત્નિ રીસામણે ચાલી જતા કાલાવાડના નિકાવા ગામે
જામનગર, તા.૧૯: કાલાવડ તાલુકાના નીકાવા ગામે રહેતા પ્રેમજીભાઈ રવજીભાઈ મકવાણા, ઉ.વ.પ૦ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વિક્રમ પ્રેમજીભાઈ મકવાણા, ઉ.વ.રપ, રે. નીકાવા ગામ વાળા ના પત્ની છેલ્લા એક મહિનાથી રીસામણે ચાલીયા ગયેલ હોય જેથી અવાર-નવાર તેને આ બાબતે મનદુઃખ થતુ હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતે પોતાના મેળે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.
શંકરટેકરીમાંથી મોટરસાયકલ ચોરાયું
સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિપુલભાઈ ચંદ્રેશભાઈ સાવલીયા, ઉ.વ.૩પ, રે. મયુર ટાઉનશીપ ખોડીયાર પાર્ક શેરી નં.-૧, રણજીતસાગર રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકરટેકરી ઉદ્યોગનગર, પ્લોટ નં.૧૭/ર હીરાભાઈ ભેળવાળાની સમયકાસ્ટ બાજુમાં, જામનગરમાં પોતાનું કાળા કલરનું હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-બી.એફ.-૬પ૧૧ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- સાથે કોઈ અજાણ્યો ચોરઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.