સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

જૂનાગઢમાં ગોપાલ ઇટાલીયાનો રોડ શો સ્‍વામિનારાયણ મંદિરે સંતોના આશિર્વાદ લીધા

 જૂનાગઢ : આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા શહેર પ્રમુખ ચેતન ગજેરા, વિજય ચાવડા સહિતના કાર્યકર્તાઓ સાથે ગઇ કાલે સાંજે ગાંધી ચોકથી ઝાંઝરડા ચોકડી સુધી રોડ શો યોજાયો હતો. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. દરમ્‍યાન ગોપાલભાઇએ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે દર્શન કરી કોઠારી પ્રેમ સ્‍વરૂપદાસજી (નવાગઢવાળા) તથા પી.પી.સ્‍વામીના આર્શિવાદ લીધા હતા. જે તસ્‍વીરોમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:18 pm IST)