ધ્રાંગધ્રા પાસે છોટા હાથીનું ટાયર ફાટતા ૨૦ મજૂરોને ઇજા
વઢવાણ,તા. ૧૯: ધ્રાંગધ્રા તાલુકાના જસાપર બાવરી વળાંક પાસે બાવરી રોડ ઉપર મજુરી કામ કરીને આવતા છોટાહાથી મારફતે ઘરે જતા હતા તે સમયે રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીયો વરસાબેન, ભણતાભાઈ, ચંપાબેન, રમેશભાઈ વેલજી, રમેશભાઈ રૂપસિંગભાઈ, પ્રકાશભાઈ, ગીતાબેન, ડીટલીબેન, અજયભાઇ, રાકેશભાઈ, કરસનભાઈ, મથરીબેન, સુર્યાભાઈ, નેવલીબેન, રેશમાબેન, ગંગાબેન, તેર્સીગભાઈ, દિલીપભાઈ, જયદીપભાઈ, જાનકીબેન, અલ્પેશભાઈ, લીલાબેન,
જેટલા મજુરો ધવાયેલ પ્રથમ સારવાર અર્થે ૧૦૮ની મદદથી ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે ૧૩ દર્દીને સુરેન્દ્રનગર શિ.યુ શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અંદાજીત નાના મોટા મળી કુલ ૧૮ થી ૨૨ જેટલા મજુરો સવાર હતા.