News of Thursday, 19th May 2022
વિંછીયામાં બંધ પડેલી પોલીસ ચોકીનું રીનોવેશન કરી ફરી ખુલ્લી મુકાઇ
જસદણ : વિંછીયામાં રાજાશાહી વખતની બંધ પડેલી પોલીસ ચોકીનું રીનોવેશન કરી ફરી શરૂ કરવામાં આવતા વેપારીઓમાં આનંદ છવાયો હતો. જયારે આ પોલીસ ચોકી ખુલતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વિંછીયાની પોલીસ ચોકીને રાજકોટ જિલ્લાના પોલીસવડા દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે રાજકોટના એસ.પી. જયપાલસિંહ ઝાલા, ગોંડલના ડીવાયએસપી પી.એ.ઝાલા, જસદણના પીઆઈ કે.જે.રાણા, વિંછીયા પીએસઆઈ આર.કે.ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : નરેશ ચોહલીયા-જસદણ)
(11:11 am IST)