સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

વિરપુર જલારામધામમાં પૂ. જલારામ બાપાના પરિવારના પૂ. રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેનની અંતિમ યાત્રામા પરિવારજનો તથા ગ્રામજનો જોડાયા : વિરપુર સ્વયંભૂ બંધ

વિરપુર (જલારામ):- વિશ્વ વિખ્યાત વિરપુર જલારામધામમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂ. રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેનનુ નિધન થયું છે જેમને લઈને આજે સમગ્ર વીરપુર ગામના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ છે ત્યારે તેમની અંતિમ યાત્રા સવારના ૯ વાગ્યે થી તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી જેમાં સમગ્ર વિરપુર વાસીઓ જોડાયા હતા તેમજ વીરપુરની મેઈન  બજાર સહિત નાનામોટા દુકાનદારોએ પણ પોતાના ધંધા વેપાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો જ્યારે વિરપુર મંદિરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા, પૂજ્ય જલારામ બાપાના પરિવારના વૈકુંઠવાસી હેમલતાબેન ની અંતિમ યાત્રા વીરપુરના રાજ માર્ગમાં થઈને પૂજ્ય જલારામ બાપાના મંદીરે લઈને મુક્તીધામ ખાતે નીકળી હતી,આ અંતિમયાત્રામાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂ. રઘુરામબાપા ચાંદ્રાણી પૂ. ભરતભાઈ ચાંદ્રાણી, કીર્તિબેન, શિલાબેન  તથા પૂ. રસિકબાપાના દીકરા સંજયભાઈ ચાંદ્રાણી, જનકભાઈ ચાંદ્રાણી, યોગેશભાઈ ચાંદ્રાણી પૂ. બટુકબાપાના દીકરા વિજયભાઈ ચાંદ્રાણી -હિતેશભાઈ ચાંદ્રાણી સહિતના પરિવારજનો જોડાયા હતા તેમજ આ દુઃખદ અવસાનને પગલે સમગ્ર ગ્રામજનો તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો શોકમય જોવા મળ્યો હતો.(તસ્વીર-અહેવાલ:: કિશન મોરબીયા વિરપુર(જલારામ)

(10:55 am IST)