સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

માળીયા હાટીનામાં નેત્ર કેમ્‍પ

માળીયા હાટીનાઃ સુનિધિ ફાઉન્‍ડેસન બોમ્‍બે રણછોડ દાસ બાપુ આંખ હોસ્‍પટલ રાજકોટ ડો. આભાબેન આર શેઠ અને આશીર્વાદ ટ્રસ્‍ટ માળિયા દ્વારા વિના મૂલ્‍યે નેત્ર રોગ દવા સારવાર ઓપરેશન કેમ્‍પ યોજાયો હતો. આ કેમ્‍પમાં ડો.બોરિચાંગર એ ૨૫૨ દર્દીઓને તપાસ કરી હતી  જેમાં થી ૪૯ને આંખના ઓપરેશન માટે રાજકોટ વિના મૂલ્‍યે લઈ જવાયા છે અને બીજા દર્દીઓને દવા ચશ્‍મા વિના મૂલ્‍યે આપેલ છે. મહેન્‍દ્રભાઈ ગાંધી, અશોકભાઇ ભાટ, મોમોન સમાજના આગેવાનો સિરાજભાઈ, અબ્‍દુલભાઈ, બબલી આહુજા સહિતના  સેવાભાવિ લોકોએ  આ કેમ્‍પમાં સેવા આપી હતી. કેમ્‍પ યોજાયો તે તસ્‍વીર.

(10:06 am IST)