ધોરાજીની સગીરાને ભગાડી જવાઇઃ ઘરે કહેવા ગયેલી માતાને યુવકના પરિવારે માર માર્યો
ધોરાજી તા. ૧૭: કુંભારવાડ વિસ્તારમાં રહેતા ગીતાબેન હરસુખભાઇ વજુભાઇ સોજીત્રાની સગીર વયની પુત્રીને તેજ વિસ્તારમાં રહેતો જેનીશ ચંદુભાઇ ઠુંમર લઇ ગયો હોવાની જાણ સગીરાની માતાને થતા તે યુવકને ઘેર જઇ તમારો પુત્ર પુત્રીને ભગાડી ગયેલ છે. તેમ કહેતા આ વાત અંગે બોલાચાલી કરી યુવકના પિતા અને માતા સહીતનાઓએ યુવતીની માતાને લાફા મારી ધમકી આપી હતી. આ અંગે યુવતીની માતાએ ધોરાજી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધેલ હતો. પી.આઇ. કે. આર. રાવત તપાસ ચલાવી રહેલ છે.
વાહન પરથી પડી જતા મોત
ફરેણી ગામના લાભુબેન હિરાભાઇ શીંગાળા ઉ.વ. ૭૦ તે બાઇક ઉપરથી પડી જતા અને તેઓને ધોરાજીની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયા હતા. વૃધ્ધાનું કરૂણ મોત થયેલ હતું અને મોતના સમાચારથી નાના એવા ફરેણી ગામમાં શોકની લાગણીઓ વ્યાપેલ હતી. બીટ જમાદાર વિ. કે. જાડેજા તપાસ ચલાવી રહેલી છે. (૭.૩૧)