વડિયાના દેવગામ પીએચસી કેન્દ્રમાં એમ્બ્યુલન્સ સુવિધા આપવા પૂર્વમંત્રી બાવકુભાઇ ઉંધાડની રજુઆત
(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૯: અમરેલી જિલ્લાના છેવાડા તાલુકા એવા વડિયાના અંતરિયાળ અને છેવાડાના ગામ એવા દેવગામ અને આસપાસના ગામડાના લોકો માટે આરોગ્યની સુવિધા માટે પીએચસી કેન્દ્ર કાર્યરત છે. તેમાંથી લોકોને હાલ આરોગ્યની સુવિધાઓ મળી રહી છે.
પરંતુ ઇમર્જન્સી કેસ અને ગંભીર બીમારી અને આકસ્મિક ઘટનાઓમાં તાત્કાલિક કોઈ વાહનની સુવિધાઓ ના હોવાથી આવે વિસ્તારના લોકો દ્વારા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડને રજુઆત કરતા પૂર્વ મંત્રી દ્વારા સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી લેખિત રજુવાત કરી દેવગામ પીએચસીને એમ્બ્યુલન્સ ફાળવવા માટે રજુઆત કરવામાં આવી છે. આ અંતરિયાળ ગામડાને જો પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડની રજુઆત સાંભળી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તો સામાન્ય લોકોને પડતી મુશ્કેલીનો અંત આવી શકે.