દામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણી
દામનગર : ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તેમજ અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા તથા યુવા મોરચા પ્રમુખ ચેતનભાઈ શિયાળ ની સુચના થી દામનગર શહેર યુવા મોરચા તથા તાલુકા યુવા મોરચા દ્વારા પ જૂન થી ૧૪ જૂન સુધી સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણી. દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન આદરણીય તેમજ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના -પ્રધાનમંત્રી પદના આઠ વર્ષનો સમયગાળો પૂર્ણ થતા સફળતાપૂર્વક ના વિકાસ યાત્રાને ઉજાગર કરી જન જન હિતની યોજનાઓ દ્વારા સફળ યોજનાઓ થકી સફળ સુશાસન ની ઉજવણી ના સમાપન દિવસે યુવા મોરચા દામનગર શહેર દ્વારા વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ ધીરુભાઈ નારોલા, તથા યુવા મોરચાના શહેર પ્રમુખ નરેશભાઈ મકવાણા મહામંત્રી જયદીપ ધ્રાંગધરિયા અને શહેર ઉપપ્રમુખ જુવાનસિંહ યુવા મોરચા ના હોદેદારો તેમજ ભાજપ અગ્રણી અમરશી નારોલા,ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાક, દામનગર)