કોડીનારના જંત્રાખડીમાં બાળા પર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાનાર નરાધમને ફાંસીની સજા આપોઃ ઇન્દ્રભારતી બાપુ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮ : કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે ૮ વર્ષીય માસુમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારી કૂર હત્યા નિપજાવનાર આ નરાધમ સામે ચારેકોર ફિટકાર થઇ રહી છે.
ત્યારે આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડતા જૂનાગઢ રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતીબાપુ એ જણાવ્યુ હતે કે જે અમારા દશનામની દિકરી ઉપર દુષ્કર્મ થયુ છે. જેના માટે આખો ગોસ્વામી સમાજ તેમજ સાધુ સમાજ દુઃખી છે. આ બાબત અંગે ઘટનાના દિવસે જ સરકારમાં અમે રજુઆત કરી હતી ત્યારે સરકારશ્રીએ આ નરાધમ સામે કડક કાર્યવાહી હાથ ધરીશું.
આવા નરાધમો બીજી વાર આવુ કરતા વિચારશે.જે આ દિકરી સાથે કૃત્ય થયુ છે. તે બાબત અત્યંત દુઃખ થયુ છે. અને પરિવાર પર આભ તૂટી પડયુ છે. ત્યારે આ દિકરીને ભગવાન સદગતી આપે અને પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શકિત આપે એવી પ્રાર્થના કરૂં છું.
પૂ. ઇન્દ્રભારતીએ વધુમાં જણાવેલ કે, આ બનાવ બન્યો ત્યારથી આ નરાધમને વધુમાં વધુ દાખલારૂપ સજા મળે તે માટે પ્રયત્નો ચાલુ છે. દશનામનું દુખ નથી આ ઇન્દ્રભારતીનું દુઃખ છે. અને દરેક સમાજ આપણી સાથે છે અને આ નરાધમને વહેલી તકે ફાંસીના માચડે લટકાડવામાં આવે તેવી આકરી સજા કરવા પૂ.બાપુએ માંગણી કરી છે.