અમરેલી જીલ્લામાં ચેકડેમોના રિનોવેશન-પ્રોટેકશન વોલ માટે ૪.૯૮ કરોડ મંજૂર
નારણભાઇ કાછડીયા, કૌશિક વેકરીયા, જે.વી.કાકડીયા, કાળુભાઇ ફીડોળીયાના સફળ પ્રયાસો
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૮ : અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા અને સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી કાળુભાઇ ફીડોળીયા દ્વારા કરવામાં આવેલ સરકારશ્રીમાં રજુઆતમાં ફાળ સ્વરૂપે ગુજરાત સરકારના સિંચાઇ મંત્રી રૂષિકેશભાઇ પટેલ દ્વારા અમરેલી જીલ્લામાં ચેકડેમોના રીનોવેશન અને પ્રોટેકશન વોલ કુલ -૫૬ કામો માટે રૂા. ૪ કરોડ ૯૮ લાખ જેવી માતબર રકમ મજૂર કરાય છે. નારણભાઇ કાછડીયા, અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા અને સિંચાઇ સમિતિના ચેરમેન કાળુભાઇ ફીડોળીયાએ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અમરેલી જીલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણા અને સિંચાઇ મંત્રી રૂષિકેશભાઇ પટેલનો આભાર વ્યકત કરેલ છે.