સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th January 2022

મોરબીના લાલબાગ પાસે બેભાન થયેલા વૃદ્ધનું મોત થયું.

મોરબીના સામાકાંઠે લાલબાગ નજીક ૬૦ વર્ષના વૃદ્ધ બેભાન થયા હોય જેનું બેભાન અવસ્થામાં જ મોત થયું હોય જેથી પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ધરમપુર ગામે રહેતા વજાભાઇ આલાભાઇ કરકટા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ લાલબાગ પાસે અચાનક બેભાન થઇ જતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને વધુ તપાસ ચલાવી છે.

(11:33 am IST)