સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

જુનાગઢમાં મેઘરાજા મહેરબાનઃ ૪ ઇંચઃ વંથલીમાં સાડા ત્રણ ઇંચ 'માણાવદરમાં ત્રણ ઇંચ અને ભેસાણમાં અઢી ઇંચ' વિસાવદરમાં બે ઇંચ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમા મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ આજે સવારથી બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અનેક જગ્યાએ અડધો થી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

   જેમાં જુનાગઢમાં મેઘરાજા મહેરબાન  થયા છે અને ૪ ઈચ  વરસાદ પડ્યો છે જ્યારે વંથલીમાં સાડા ત્રણ ઇંચ માણાવદરમાં ત્રણ ઇંચ અને ભેસાણમાં અઢી ઇંચ તથા વિસાવદરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત માળીયાહાટીનામા પોણો ઇંચ, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

(4:25 pm IST)