સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

કાલાવડ ખાતે GVK EMRI દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેકટ્‍સના કર્મીઓને શ્રેષ્‍ઠ કામગીરી બદલ સન્‍માનિત કરાયા

જામનગર, તા.૧૭: જામનગરનો જિલ્લા કક્ષાનો ૭૬ મો સ્‍વતંત્રતા દિવસ કાલાવડ ખાતે યોજાયો હતો.સ્‍વતંત્રતા પર્વના આ પાવન અવસરે ગુજરાત રાજય અને GVK EMRI દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેક્‍ટ્‍સમાં કામ કરી ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા કર્મચારીઓને સન્‍માનિત કરી સર્ટિફિકેટ આપી પ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતાં. જામનગર જિલ્લાના ૧૦૮, ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ, ૧૯૬૨ અને ૧૦MVD પ્રોજેક્‍ટ્‍સ માં કામ કરતા અનુક્રમે રાજુ સોલંકી (ઇ એમ ટી ૧૦૮), અતુલભાઈ વ્‍યાસ (પાઇલોટ ૧૦૮),  ડોક્‍ટર અંજલિ પરમાર  (DAR), અશ્વિનભાઈ (પાઇલોટ કમ ડ્રેસર -૧૯૬૨ અને ૧૦MVD) ને સાંસદ શ્રી પૂનમબેન માડમ, રાજયકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, કલેકટર શ્રી સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ તથા અન્‍ય મહાનુભાવો દ્વારા સર્ટિફિકેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. આ પ્રસંગે કર્મચારીઓમાં પણ અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો અને વિશેષ કામગીરી કરવાના જુસ્‍સા સાથે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે GVKEMRI જામનગરના પ્રોગ્રામ મેનેજર શ્રી બિપીન ભેટારિયા, ઇ.એમ.ઇ શ્રી જયદેવસિંહ જાડેજાએ પણ આ પ્રસંગે કર્મચારીઓ સાથે હાજરી આપી તેમનો ઉત્‍સાહ વધાર્યો હતો. કર્મચારીઓ પણ પોતાનું રોજિંદું કામ જે રીતે નિઃસ્‍વાર્થ ભાવે ખંત અને ખુમારીથી કરે છે તે અમૂલ્‍ય કામને આ રિતે નવાજિત કરવામાં આવતા તેઓ ગદગદિત થઇ ગયા હતા.

(1:08 pm IST)