આઇ.ટી.આઇ જામનગર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
જામનગર, તા.૧૭: આઈ.ટી.આઈ. જામનગર ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આઈ ટી આઈ જામનગર, મહિલા આઈ ટી આઈ જામનગર અને ગુલાબનગર આઈ ટી આઈ નાં તાલીમાર્થીઓ દ્વારા વિવિધ નુક્કડ નાટક, શૌર્ય ગીત, તિરંગા નાટક, વકૃત્વ સ્પર્ધા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ. આ ઉત્સવમાં સંસ્થાનાં આચાર્ય એમ.એમ.બોચિયા, સુપર ઇનપેક્સ અને સુપર સ્પિંટેક્સ ગ્રુપ નાં પ્રણેતા ગંગદાશભાઇ કાછડીયા, ભારતી ગ્રુપનાં માલિક વિરજીભાઈ હીરપરા, નર્મદા ઇન્ડસ્ટ્રીઝનાં માલિક પ્રેમજીભાઈ મેંદપરા, ઉદ્યોગપતિ વિજયભાઈ ઝવેરી, ઉદ્યોગપતિ દીપકભાઈ મેઘાણી, સંસ્થાના ફોરમેન, સુપરવાઈજર સ્ટાફ અને બહોળી સંખ્યા માં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. મહાનુભાવો દ્વારા પ્રથમ નંબર મેળવેલ સ્પર્ધકને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ. આઈ ટી આઈ જામનગરનાં એનસીસીનાં કેડર દ્વારા પરેડ તથા અલગ અલગ કરતબ કરવામાં આવેલ. મહાનુભાવો દ્વારા આઝાદીનું મહત્વ આપતું વકત્યવ આપેલ.