સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

જેતપુરમાં મેઘો અનરાધાર ૧ કલાકમાં ૧ ઇંચ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૭ : શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામતો ન હોય થોડીવાર ઝરમર વરસાદ વરસ્‍યા બાદ અસહય ઉકળાટ થતો હોય છેલ્લા બે દિવસથી વરસાદે મુડ બદલ્‍યો હોય શ્રાવણ માસના સરવડા ચાલુ થયા હોય આજે સવારે ૮.૩૦ થી મેઘો અનરાધાર વરસતા ૧ કલાકમાં ૧ ઇંચ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે લોકમેળાનું ઉદઘાટન હોય મેઘરાજા સાત દિવસ ખમૈયા કરે તો લોકમેળામાં લોકો ભરપુર આનંદ ઉઠાવી શકે અને સ્‍ટોલ ધારકો પણ કમાણી કરી શકે.

(12:59 pm IST)