News of Wednesday, 17th August 2022
જુનાગઢમાં મેઘરાજા મહેરબાન : ૪ ઈચ : વંથલીમાં સાડા ત્રણ ઇંચ માણાવદરમાં ત્રણ ઇંચ અને ભેસાણમાં અઢી ઇંચ વિસાવદરમાં બે ઇંચ
(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમા મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ આજે સવારથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં અનેક જગ્યાએ અડધો થી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.
જેમાં જુનાગઢમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ૪ ઈચ વરસાદ પડ્યો છે જ્યારે વંથલીમાં સાડા ત્રણ ઇંચ માણાવદરમાં ત્રણ ઇંચ અને ભેસાણમાં અઢી ઇંચ તથા વિસાવદરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત માળીયાહાટીનામા પોણો ઇંચ , માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે
(12:43 pm IST)