સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

જુનાગઢમાં મેઘરાજા મહેરબાન : ૪ ઈચ : વંથલીમાં સાડા ત્રણ ઇંચ માણાવદરમાં ત્રણ ઇંચ અને ભેસાણમાં અઢી ઇંચ વિસાવદરમાં બે ઇંચ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમા મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ આજે સવારથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં અનેક જગ્યાએ અડધો થી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

   જેમાં જુનાગઢમાં મેઘરાજા મહેરબાન  થયા છે અને ૪ ઈચ  વરસાદ પડ્યો છે જ્યારે વંથલીમાં સાડા ત્રણ ઇંચ માણાવદરમાં ત્રણ ઇંચ અને ભેસાણમાં અઢી ઇંચ તથા વિસાવદરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત માળીયાહાટીનામા પોણો ઇંચ , માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે

(12:43 pm IST)