સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

જૂનાગઢ બાદ વંથલીમાં પણ કોરોનાની એન્‍ટ્રી

તહેવારમાં જ મહામારીનો ફુફાડો

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૭ : જૂનાગઢ બાદ વંથલીમાં પણ કોરોનાએ એન્‍ટ્રી કરી હોવાનું જાણવા મળેલ છે.

જન્‍માષ્‍ટમીના તહેવારમાં જ કોરોનાએ આળસ મરડી છે. સ્‍વાતંત્ર્ય દિને જૂનાગઢ સીટીમાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયા બાદ જિલ્લાના વંથલીમાં એક વ્‍યકિતનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યો છે.

આમ કોરોના મહામારીએ તાલુકા કક્ષાએ પણ માથુ ઉચકતા કોરોના વધુ ફેલાય નહિ તે માટે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

દરમિયાન મંગળવારે જૂનાગઢ કોર્પોરેશન એરિયામાં ૧૯૫૨ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૮૧૨ મળી કુલ ૨૭૬૮ લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.

(12:45 pm IST)