સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

વાંકાનેર અંકુર વિદ્યાલયમાં ધ્‍વજવંદન

વાંકાનેર જીનપરા મેઇનરોડ પર આવેલ વિદ્યાપ્રસારક મંડળ સંચાલીત અંકુર પ્રાથમીક શાળામાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ૭૬માં સ્‍વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સેક્રેટરીશ્રી તથા ટ્રષ્‍ટીશ્રીઓ, આમંત્રીત મહેમાનો ઉપરાંત આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ વાલીગણ પરિવારો તથા વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતીમાં શાળાના ટ્રસ્‍ટી મેઘાબેન મહેતા તથા સિનીયર શિક્ષિકાબેન નીતાબેન પરમાર ના હસ્‍તે ધ્‍વજ વંદન લહેરાવામાં આવ્‍યો હતો. સ્‍કુલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ વાલીઓ, ટ્રષ્‍ટીઓ, આચાર્યશ્રીઓની હાજરીમાં યોજાયો હતો. સમાપન વિધી ઉપેન્‍દ્રભાઇ ડી.મહેતાએ કરી હતી. (તસ્‍વીર- અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

 

(10:24 am IST)