સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

જામકંડોરણામાં ભારતમાતાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

જામકંડોરણાઃ આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત ભારતમાતાના સંતાનોમાં છુપાયેલી રાષ્‍ટ્રભાવનાની શકિતઓને ફરીથી ઉજાગર કરવા માટે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ દ્વારા જામકંડોરણા તાલુકાનો મહાઆરતીનો કાર્યક્રમ કોયાણી સાંસ્‍કૃતિક ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં એકી સાથે સમૂહમાં દિવડા સાથે ભારતમાતાની મહાઆરતી કરવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : મનસુખભાઇ બાલધા-જામકંડોરણા)

(10:18 am IST)