મોરબી જલારામ મંદિરમાં મહાપ્રસાદ યોજી કોંગ્રેસ પ્રમુખે જન્મદિવસની ઉજવણી કરી.
પ્રેરણાદાયી ઉજવણી બદલ જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓએ જયંતીભાઈ પટેલને અભિનંદન સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જન્મદિવસની ઉજવણી કરી હતી
શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે જેમાં આજે મોરબીના ઉદ્યોગપતિ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જન્મદિવસ નિમિતે મહાપ્રસાદ યોજ્યો હતો
આજના આધુનિક યુગમાં લોકો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરતા હોય ત્યારે મોરબીના અગ્રણી જયંતીભાઈ પટેલે લોકોની જઠરાગ્ની તૃપ્ત કરીને પ્રેરણા પૂરી પાડી છે જે પ્રેરણાદાયી ઉજવણી બદલ જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓએ જયંતીભાઈ પટેલને અભિનંદન સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.