સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાનું વિરપુર (જલારામ)ઉમરાળીમાં સ્‍વાગત

વીરપુર(જલારામ): રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢ કચ્‍છથી સોમનાથ સુધીની એકતા યાત્રા યોજવામાં આવી છે.૧૭૦૦ કિમીનું અંતર કાપી વીરપુરના ઉમરાળી પહોંચેલી યાત્રાનું ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા ઢોલનગારા સાથે સ્‍વાગત થયું હતું. જેમા સામૈયા કરી કરણી માતાના રથને ફુલડે વધાવ્‍યો હતો. ગોંડલના મુકેશભાઇ ઝાલા યુવા કાર્યકર ધર્મેશભાઇ પીપળીયા, ગાડલીયા લુહાર સમાજના એકલિંગજીસેના અધ્‍યક્ષ લોક ગાયક દેવરાજ રાઠોડ, કિશનસિંહ મોરબીયા, નિલેશભાઇ મકવાણા, રાહુલભાઇ સરવૈયા, પિન્‍ટુભાઇ સરવૈયા, જયદીપસિંહ સોલંકી, મનોજભાઇ સરવૈયા દ્વારા રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્‍યક્ષ જે.પી.જાડેજા તેમજ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા સહિતનું સન્‍માન કરાયુ હતું. સફળ બનાવવા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ તેમજ એકલિંગજીસેનાના યુવાનો એ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વીરપુર(જલારામ)

(1:09 pm IST)