સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

જુનાગઢમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્‍થિતિમાં પાટોત્‍સવની ઉજવણી

જુનાગઢ : જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે રાધારમણ દેવના ૧૯૪ માં વાર્ષિક પાટોત્‍સવની પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદી મહારાજની ઉપસ્‍થિતીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગઇકાલે સ્‍વામીનારાયણ ગુરૂકુળથી જલયાત્રા નિકળી હતી. તેમાં પ.પૂ. રાકેશપ્રસાદજી મહારાજનું સામૈયુ કરાયુ હતું. જેમાં કાળવા ચોક ખાતે જૂનાગઢ જિલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે. ડી. પંડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, છેલભાઇ જોશી, હસુભાઇ જોષી, શૈલેષ પંડયા, આશિષ રાવલ, રાજૂ વ્‍યાસ, સહિતનાએ મહારાજશ્રીનું સ્‍વાગત કરેલ આજે સવારે આચાર્ય મહારાજના હસ્‍તે દેવોનો અભિષેક કરાયો હતો અને ૯ કલાકે શ્રી રાધારમણ દેવ મુખ્‍ય પ્રવેશ દ્વારનો શિલાન્‍યસ કરાયો હતો અને ૯.૩૦ કલાકે સત્‍સંગ સભામાં પૂ. રાકેશપ્રસાદજી મહારાજએ આશિવર્ચન પાઠવ્‍યા હતા કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના મુખ્‍ય કોઠારી પ્રેમસ્‍વરૂપદાસજી (નવાગઢવાળા) તથા પી. પી. સ્‍વામી સહિતના સંતો હરિભકતોએ ભારે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:06 pm IST)