સોમનાથમાં નરસિંહ ભગવાન પ્રાગટય મહોત્સવ ઉજવાયો
પ્રભાસપાટણઃ સોમનાથમાં નરસિંહ ભગવાનની મંદિરના મહંત ઘનશ્યામદાસ બાપુની પ્રેરણાથી નરસિંહ પ્રાગટય મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સવારે વિષ્ણુ મહાયજ્ઞમાં કલ્પેશ મહારાજ તથા અનિરૂદ્ર મહારાજે વિધિ કરી હતી. બાદ કાજલી ગામના ડે. કલેકટર સ્વ. ભગવાનભાઇ ઝાલાના સ્મરણાર્થે પરીવારજનો દ્વારા ચાંદીનું છતર અર્પણ કરાયું હતું. ભગવાનનું પુજન અભિષેક સાથે છતર અર્પણ વિધિ કરાઇ હતી. સોમનાથ બ્રહ્મસમાજ અને સાધુ સંતો તથા મહેમાનોએ પ્રસાદી લીધી હતી. સફળ બનાવવા કાજલી ગામના ડે. કલેકટર સ્વ.ભગવાન ભાઇ ઝાલાના પરીવારજનો લક્ષ્મણસિંહ ઝાલા, સુરપાલસિંહ ઝાલા, હરદેવસિંહ ઝાલા, રાયસિ઼હ ઝાલા, પ્રસ્છન્નજીત સિ઼હ ઝાલાએ યજમાન પદે રહી મહંત ઘનશ્યામદાસ બાપુ તથા સુરપાલસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી હતી. (અહેવાલઃ તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)