સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

ખીરસરાઃ ઝીંઝુવાડા મુકામે લાબરીયા પરીવારનો ત્રિદિવસીય ધાર્મિક ઉત્‍સવ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૭: ઝીંઝુવાડા તેમજ ઝાઝાવડા દેવ થરા મુકામે ત્રિદિવસીય ધાર્મિક ઉત્‍સવ સમસ્‍ત લાંબરીયા પરીવાર દ્વારા તિથી ઉત્‍સવ મહાયજ્ઞ ઝાઝાવડા દેવ-થરા મુકામે ધજારોહણ શ્રી ખોડલમા શ્રીશકિતમા નો ૨૪ કલાકનો માડવો તા.૧૬ થી ૧૮/૫ સુધી ત્રિદિવસીય ધાર્મિક ઉત્‍સવ ઉજવાશે.

આમંત્રિત સંતગણ પ.પુ.શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્‍યામપુરી બાપુ ઝાઝાવડા દેવ થરા પ.પુ.શ્રી જીતુબાપુ સબળાબાપાનો ઠાકર દ્વારો માલણપુર પ.પુ.મહંતશ્રીભવાનભગત લાંબારીયા ઠાકર દ્વારો વિસ્‍તાણા પ.પુ.મંહતશ્રી મુન્નાબાપુ (મહેશ પુરી)શીવપુરીધામ દ્વારકા (કાનદાસબાપુ આશ્રમ) પ.પુ શ્રી સંત દેવીદાસ બાપુ લખાદાદાની જગ્‍યા ગોમટા આમંત્રિત મહેમાનો ડો મહેન્‍દ્રભાઈ મુંજપરા મંત્રી શ્રી ગુજરાત રાજ્‍ય કિરીટસિંહ રાણા કેબિનેટ મંત્રી લાખાભાઇ ભરવાડ ધારાસભ્‍ય વિરમગામ રધુભાઇ દેસાઇ ધારાસભ્‍ય રાધનપુર બબુબેન હિમતભાઇ પાચાણી જીલ્લા પંચાયત પ્રમુખ સુરેન્‍દ્રનગર ઉદયસિંહ ઝાલા કારોબારી ચેરમેન મોહનભાઈ ભરવાડ ચેરમેન ઉતમ ડેરી બાબા ભરવાડ ચેરમેન સુરેન્‍દ્રનગર જી.સહ.દુધ ઉત્‍પાદક સંઘ વઢવાણ પ્રકાશભાઈ ડોડિયા તાલુકા પંચાયત પ્રમુખ પાટડી મૌલેશભાઇ પરીખ નગરપાલિકા -મુખ પાટડી ગીતાબા બિપીન સિંહ ઝાલા સરપંચ પાટડી વાલાભાઈ ગરિયા ડિરેક્‍ટર સુરસાગર ડેરી પાટડી જીવાભાઈ ભરવાડ કનવિનર માલધારી સેલ ગુજરાત નરેશભાઈ ગમારા યુવા ભાજપ પ્રમુખ સરપંચ માંડલ ઉપસ્‍થિત રહેશે

(11:46 am IST)