સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : નવા 128 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 61 કેસ ,જૂનાગઢ તાલુકામાં 6 કેસ,માળિયામાં 12 કેસ,કેશોદ અને માણાવદરમાં 9-9 કેસ,વંથલીમાં 8 કેસ,મેંદરડામાં 7 કેસ, વિસાવદરમાં 6 કેસ,ભેસાણ અને માંગરોળમાં 5-5 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાના નવા 128 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 128 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 61 કેસ ,જૂનાગઢ તાલુકામાં 6 કેસ,માળિયામાં 12 કેસ,કેશોદ અને માણાવદરમાં 9-9 કેસ,વંથલીમાં 8 કેસ,મેંદરડામાં 7 કેસ, વિસાવદરમાં 6 કેસ,ભેસાણ અને માંગરોળમાં 5-5 કેસ નોંધાયા છે

(8:36 pm IST)