News of Tuesday, 16th January 2018
દામનગર શહેરમાં વિર માંધાતાની ભવ્ય શોભાયાત્રા
દામનગરઃ શહેર યુવા સંગઠન દ્વારા દામનગર શહેરમાં વિર માંધાતાની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. ઉતરાયણના દિવસે આ શોભાયાત્રા કોળી જ્ઞાતિની વાડી સીતારામ ખાતેથી સવારે પ્રસ્થાન થયેલ મુખ્યમાર્ગો પર ફરી હતી. આ રેલીનો ઉદ્દેશ કોળી સમાજમાં શિક્ષણનો ફેલાવો, વ્યસનમુકિત-અંધશ્રધ્ધાથી દુર રહેવું અને સમાજ સંગઠિત કરવો છે. સમસ્ત કોળી સમાજના ભાઇઓ બહેનો તથા બાળકોએ શોભાયાત્રાનો લાભ લીધેલ સુરેશભાઇ છગનભાઇ ચોૈહાણ (તુલસીપાન) વાળા એ આયોજન તેમજ. વડિલોએ અભિનંદન પાઠવેલ હતા.
(11:35 am IST)