માળિયા તાલુકાના વીસીઈ પડતર પ્રશ્નો ના ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાલ.
તા. ૨૧ થી ઉપવાસ આંદોલન અને કામગીરી બંધ કરવાની ચીમકી માળિયા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું.
મોરબી : માળિયા તાલુકા ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવીને પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે અને માંગણીઓ ના સંતોષાય તો તા. ૨૧ થી અચોક્કસ મુદતની હડતાલ કરવાનું એલાન કર્યું છે
માળિયા તાલુકા ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા ટીડીઓને આવેદન પાઠવીને જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૬ થી વિવિધ પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરી રહ્યા છે વીસીઈનું શોષણ અટકે અને કમીશન પ્રથા બંધ કરવા માંગ કરી રહ્યા હોય છતાં પ્રશ્ન ઉકેલાયો નથી જેથી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માટે માંગ કરાઈ છે અને તા. ૨૦-૧૦-૨૧ સુધીમાં પ્રશ્નો નહિ ઉકેલાય અને હકારાત્મક નિર્ણય નહિ કરવામાં આવે તો વીસીઈ મંડળ દ્વારા તા. ૨૧-૧૦ થી સત્યાગ્રહ છાવણી અને પ્રતિક ઉપવાસ કાર્યક્રમ કરાશે
તેમજ ગુજરાતના વીસીઈ સાથે માળિયા તાલુકાના વીસીઈ પણ ૫૭ જેટલી ડીજીટલ સેવા સેતુ કામગીરી, આવક દાખલા, વિધવા સહાય, મગફળી રજીસ્ટ્રેશન સહિતની કામગીરી બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેમ જણાવ્યું છે.