સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

મોરબીના પરાબજારમાં એસબીઆઈ એટીએમ ચાલુ હોવા છતાં રખાય છે બંધ ?

એટીએમ મશીન પર ન્યુઝ પેપર ઢાંકી બંધ હોવાનું કહી દે છે ગાર્ડ.

મોરબી શહેરમાં આવેલી સરકારી બેંકોના એટીએમ મશીન ચાલુ કરતા બંધ વધુ જોવા મળતા હોય છે તહેવારોની મોસમમાં એટીએમમાં રૂપિયા ના હોવા અને એટીએમ મશીનો બંધ હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળતી હોય છે તો હવે પરાબજારમાં આવેલ એસબીઆઈ એટીએમ મશીન ચાલુ હોવા છતાં બંધ હોવાનું ગાર્ડ જણાવી દેતો હોવાની ફરિયાદો ગ્રાહકો કરી રહ્યા છે
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ બેંકની સેવાઓથી ગ્રાહકો ખુશ ના હોય છાશવારે ફરિયાદો જોવા મળતી હોય છે જેમાં હાલ મોરબીના પરાબજારમાં આવેલ એસબીઆઈ બેંક પાસેના એટીએમ મશીન ચાલુ હોવા છતાં અહી સિક્યુરીટી ગાર્ડ ગ્રાહકોને મશીન બંધ હોવાનું કહી દેતા હોય છે અવારનવાર આવું થતા એક જાગૃત નાગરિકે એટીએમ ચેક કરતા મશીન ચાલુ હતું તો ડીપોઝીટ કરવા સમયે નોટો ફસાઈ જાય છે તેવા ઉડાઉ જવાબો આપવામાં આવ્યા હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું
જોકે મશીન ચાલુ હોવા છતાં ડીપોઝીટ કરવા આવતા ગ્રાહકોને કેમ મશીન બંધ છે કહી દેવાય છે તે ગ્રાહકોને સમજાતું નથી અને બેંક ટાઈમ પૂર્ણ થયા બાદ છેલ્લા ઘણા દિવસોથી આ સિલસિલો ચાલુ હોવાની ફરિયાદો પણ ગ્રાહકો કરી રહ્યા છે.

(11:32 am IST)