મોરબી ભાઈની પત્નીને પામવા ભાઈની હત્યા કરનાર ઈસમને પોલીસે ઝડપી લીધો.:પોલીસે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી આરંભી.
મોરબીના લીલાપર રોડ પર હોથીપીર દરગાહ પાસે રહેતા યુવાનને તેના જ કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીંકી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી છે ભાઈની પત્નીને પામવા માટે ભાઈએ ભાઈની હત્યા કરી દીધાનો ચોકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે
હત્યાની બનાવની મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ઇમરાનશા ઉમરશા શાહમદાર (ઉ.વ.૨૫) નામના યુવાનને તેના જ કાકાના દીકરા સરફરાજ ફિરોઝશા શાહમદાર રહે મકરાણીવાસ નામના શખ્શે છરીના ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરી હતી જોકે ઈજાગ્રસ્ત ઇમરાનનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી, સીટી એ ડીવીઝન, એલસીબી સહિતની ટીમ દોડી ગઈ હતી.
જે હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ જાવેદશા ઉમરશા શાહમદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના નાના ભાઈ ઇમરાનની પત્ની સાહીદા આરોપી સરફરાજ ફિરોજશા શાહમદારને ગમતી હોય તેની સાથે લગ્ન કરવા હોય જેથી ઇમરાનને પત્ની સાથે સંબંધ છોડી દેવાનું જણાવતા ઈમરાને નાં પાડી હતી જેથી સરફરાજે ઇમરાનના ઘરે જઈને છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીકી દેતા મોત થયાનું જણાવ્યું છે એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી જેમાં આરોપી સરફરાજ શાહમદારને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.