સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા દશેરા નિમીતે વિના મુલ્‍યે મીઠાઇ ફરસાણનું વિતરણ

ધોરાજીઃ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા ધોરાજીના માનવ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી સ્‍લમ વિસ્‍તાર, નાના નાના બાળકો, અનાથ આશ્રમ, વૃધ્‍ધા આશ્રમ અને જુદા જુદા વિસ્‍તારમાં એકલા રહેતા વૃધ્‍ધો અને અશકત લોકોને ઘેર ઘેર એક કિલો મીઠાઇ અને ફરસાણ આપેલ હતું આ તકે માનવ સેવાના ધર્મેન્‍દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી અને સામાજીક અગ્રણી દિપકભાઇ માથુકીયા અને માનવ સેવાના કાર્યકર્તાઓ સેવાઓમાં જોડાયા હતા. આ તકે માનવ સેવા યુવક મંડળ દ્વારા દાતાઓનો આભાર માનેલ હતો.

 

(11:14 am IST)