સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

જૂનાગઢ ભારતી આશ્રમે પૂ. મહાદેવભારતી બાપુના અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ

જૂનાગઢઃ ભવનાથ તળેટી સ્થિત શ્રી ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત પૂ. ભારતીબાપુની પ્રેરણાથી મહંત પૂ. હરીહરાનંદભારતી બાપુના સાનિધ્યમાં પૂ. મહાદેવભારતી બાપુ દ્વારા નવરાત્રી અનુષ્ઠાન કરવામાં આવેલ. ગઈકાલે તેની પૂર્ણાહૂતિ પ્રસંગે હવનનું આયોજન કરાયુ હતું. જેમાં પૂ. હરીહરાનંદભારતી બાપુ, પૂ. મહાદેવભારતી બાપુએ બીડુ હોમ્યુ હતું અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમજ ૨૧૦૦ બાળાઓને ભોજન પ્રસાદ આપી અને લ્હાણી વિતરણ કરવામાં આવ્યુ હતું અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:00 am IST)