સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જસદણમાં ડો. બોઘરાએ રપ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકી

જસદણ, તા.૧૬ : કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર માટે રાજકોટ મોકલવામાં આવતા હતાં ત્યાં પણ પથારીઓ ખૂટી પડતા સ્થાનિક લેવલે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા રવિવારે વિરનગર ગામે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ૭૦ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મૂકી હતી અને મંગળવારે સવારે રાજયની સરદાર સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાએ જસદણમાં રપ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મૂકતા હવે જસદણ વિંછીયા પંથકના કોરોના પોઝીટીવ દર્દીઓને રાહત થશે.

(11:37 am IST)