સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૨૮ કેસો : વધુ ૨૭ દર્દીઓ સ્વસ્થ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૮ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે.

મોરબી જીલ્લામાં નોંધાયેલા કેસોમાં મોરબી તાલુકાના ૧૫ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૪ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તાર, હળવદના ૦૬ કેસોમાં ૦૫ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તાર તેમજ ટંકારાના ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે.

જયારે વધુ ૨૭ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા ૨૮ કેસો સાથે કુલ કેસનો આંક ૧૩૫૪ થયો છે. જેમાં ૨૫૪ એકટીવ કેસ છે જયારે ૧૦૩૪ દર્દીઓ રીકવર કરી ચુકયા છે.

(11:32 am IST)