ભાવનગરઃ ભરતનગરના સામુહીક દુષ્કર્મ પ્રકરણમાં ૩ શખ્સોને છ વર્ષની સજા
ભાવનગર તા.૧પ : ભાવનગરના ભરતનગરમાં સામુહીક દુષ્કર્મ પ્રકરણમાં કોર્ટે ત્રણ શખ્સોને છ વર્ષની કેદની સજા ફટકારી છે. જયારે બે શખ્સોને બે વર્ષની સજા અને એક શખ્સને નિર્દોષ છોડી મુકવા કોર્ટે આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના ભરતનગરના ર૦૧રમાં ૧૩ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. જેમાં આરોપીઓની ધરપકડ કરીને પોલીસે જાહેરમાં સરભરા કરી હતી ત્યારબાદ કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ દ્વારા સગીરાના પરિવારજનોને ધાક-ધમકી પણ આપવામાં આવી હતી.
ભરતનગરના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં કોર્ટે આજે ૩ શખ્સોને છ વર્ષની કેદની સજા ફટકારી છે. જેમાં ભરવાડ હનુ નગાભાઇ, વિપુલ ભુપત ગોહિલ, લાખા કમા સાતીયા જયારે બે શખ્સોને ૩ વર્ષની સજા અને એક શખ્સને નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો છે.