મોરબીના પરશુરામધામ અને ગુંગણ ગામે શનિવારે મેરજાનો સન્માન સમારોહ
મોરબીઃ તા ૧૫, શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૧૬ ને શનિવારે ૬ કલાકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય જેથી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજવામાં આવશે.
મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સન્માન સમારોહમાં મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, સાંસદસભ્ય રામભાઈ મોકરિયા ખાસ ઉપસ્થિત રહેશે જે સન્માન સમારોહમાં ભૂદેવોએ પધારવા પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની યાદી જણાવે છે.
સમસ્ત ગુંગણ ગામ દ્વારા તા. ૧૬ ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને રાજ્યના નવા મંત્રીમંડળમાં પંચાયત, શ્રમ અને રોજગાર મંત્રી તરીકે સ્થાન મળ્યું હોય જેથી સમસ્ત ગામ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું છે
જે સન્માન સમારોહમાં ગુંગણ ગામના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહેશે તેમ ગુંગણ ગ્રામ પંચાયતના સરપંચ દિગુભા જાડેજા, ભીખુભા જાડેજાની યાદી જણાવે છે સન્માન સમારોહ કાર્યક્રમ બાદ સમસ્ત ગ્રામજનો માટે ભોજન સમારંભનું પણ આયોજન રાખેલ છે.