સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th October 2021

ગીર સોમનાથના મોરાસામાં કાનુની સલાહ કેમ્‍પ

 સુત્રાપાડા : જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ નાથ વેરાવળના ચેરમેન સાહેબ શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા કોર્ટ કેમ્‍પસ ખાતેની તાલુકા કાનૂની સેવા સમિતિ સુત્રાપાડાના અધ્‍યક્ષશ્રી એસ.એલ.મહેતાની સુચના દ્વારા પાન ઇન્‍ડિયા અવેરનેસ પ્રોગ્રામની ઉજવણી અન્‍વયે સુત્રાપાડા તાલુકાનાકાના મોરાસા ગામે સામાજીક કાર્યકર દ્વારા ડોર-ટુ -ડોર કેમ્‍પેઇન કરી લોકોને લીગલ એઇડ વિશે તેમજ તેમને મળતા અધિકારો અને તેમના હક્ક વિશે જાગૃત કરવામાં આવ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી-સુત્રાપાડા)

 

(10:57 am IST)