જસદણના ઝુંડાળા ગામે તળાવ સ્મશાન હોલ પેવર રોડ સહીતના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન
(નરેશ ચોહલીયા) જસદણ,તા.૧૫: રાજકોટ જીલ્લા પંચાયત સીટમાં આવતા જસદણ તાલુકાના ઝુંડાળા ગામમાં રામદેવપીરના મંદિર તરફ જતા રસ્તે પેવર બ્લોકના કામનું અને હોલ બનાવવાના કામનું રૂ.૨,૦૦,૦૦૦ તેમજ સ્મશાનમાં હોલ બનાવવા માટે રૂ.૨,૦૦,૦૦૦ ના કામનું ખાતમુહુર્ત તથા તથા રૂ.૨,૫૦,૦૦૦ ના ખર્ચે સ્મશાન છાપરી બનાવવાના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સ્મશાન તરફ જતા રસ્તામાં પેવરબ્લોક માટે રૂ.૩,૦૦,૦૦૦ ના કામને મંજુર કરવાની ખાતરી આપવામાં આવી હતી. જયારે ખેતીવાડીને ઉપયોગી એવા સીમતળના બે તળાવનું રીપેરીંગ અને બીજા તળાવના રીપેરીંગ કરવાના કામને મંજુર કરાવી રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૫૦,૦૦૦ ના કામોને ગામના આગેવાનોની માંગણીને ધ્યાને લઈ મંજુર કરાવ્યું હતું. આ તકે રાજકોટ જીલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈ ધડુક, જસદણ તાલુકા પંચાયત પ્રમુખ છગનભાઈ વોરા, ઝુંડાળા ગામના સરપંચ વિનુભાઈ, ઉપસરપંચ નાથાભાઈ, પૂર્વ સરપંચ બટુકભાઈ અને અશ્વિનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.