જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાતે પૂ. રમેશભાઇ ઓઝા
જૂનાગઢ : ગોરક્ષનાથ આશ્રમ ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ઓનલાઇન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. દરમ્યાન પૂ.ભાઇશ્રી દ્વારા ભવનાથ તિર્થક્ષેત્રો આશ્રમોની મુલાકાત લઇ રહ્યા છે. ગઇ કાલે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારે પૂ. ઇન્દ્રભારતી બાપુએ ઉમળકાથી ભાવભેર પૂ. ભાઇશ્રીનું સ્વાગત કર્યું હતું અને દોઢેક કલાકનું પૂ.ભાઇશ્રીએ ફળનો પ્રસાદ લીધો હતો. અને પૂ.ભાઇશ્રી તથા બાપુએ અડધો કલાક જેટલો એકાંતમાં સમય વિતાવી જ્ઞાનગોષ્ઠિ પણ કરી હતી. આ તકે મુચક્રંદ ગુફાના મહામંડલેશ્વર મહીન્દ્રાનંદગીરીજી તેમજ પૂ.ભાઇશ્રીના સેવક ભાઇશંકરભાઇ જોષી હાર્દિકભાઇ જોષીનું પૂ.બાપુના સેવક લખનભાઇ ઓડેદરા અને જામનગર અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)