ચોટીલા APMCની બીજી ટર્મની ચૂંટણી યોજાઇ : ધાધલ અને શાહ બિન હરીફ
(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧૫ :ચોટીલા માર્કેટીંગ યાર્ડ ની મંગળવારના ચેરમેન અને વા. ચેરમેન ની ચૂટણી યોજાયેલ જેમા ફરી ધાધલ અને શાહ બિનહરીફ સર્વાનુમતે ચુટાઇ આવેલ છે.
ચોટીલા એપીએમસી મીટીંગ હોલ ખાતે યોજાયેલ ચૂંટણી જીલ્લા રજીસ્ટ્રાર એસ. બી. ચૌહાણ અને સહકારી અધિકારી (બજાર) આર. ડી. મકવાણા ની ઉપસ્થિતમાં ચૂંટણી યોજાયેલ
ચેરમેન તરીકે ભરતભાઇ બી. ધાધલ નું એક માત્ર દાવેદારી પત્ર રજૂ થતા તેમને બિનહરીફ ચૂપાયેલા જાહેર કરવામાં આવેલ તેમજ વા. ચેરમેન તરીકે વેપારી પેનલના શુભાષભાઇ શાહ ને સર્વાનુમતે બિનહરીફ ચૂટી કાઢવામાં આવેલ છે
ચોટીલા યાર્ડમાં છેલ્લા ૩૦ વર્ષ થી ધાધલ બિનહરીફ ચૂટાઇ આવે છે. જેઓ ફરી બીજી ટર્મ આવતા ઉપસ્થિત ડીરેકટરો વેપારીઓ અને આગેવાન સ્ટાફે ફૂલહાર કરી વધાવી અભિનંદન પાઠવી મો મીઠા કરી ખુશાલી વ્યકત કરેલ હતી
યાર્ડ ના સેક્રેટરી પ્રવિણસિંહ ચૌહાણે ચૂટણી પ્રક્રિયા દરમિયાન તેમની ફરજ બજાવેલ હતી અને છેલ્લા ઘણા વર્ષોથી યાર્ડ ની બિનહરીફ પ્રણાલી અંગે વહિવટી સંચાલન અને ખેડૂત અને વેપારી પેનલની એકતા અંગે જણાવ્યું હતું.