News of Thursday, 15th April 2021
ઉનામાં સ્વૈચ્છીક લોકડાઉન : ગીર ગઢડામાં બપોરે 1 વાગ્યા બાદ 11 દિવસ સુધી વેપાર ધંધા બંધ રહેશે
તલાલામાં 5 દિવસનું અને કોડીનારમાં 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે.
ગુજરાતના અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.
ગીર સોમનાથના ઉનામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. કોડીનાર અને તાલાલામાં પણ આજથી લોકડાઉન (lockdown) રહેશે. ગીરગઢડામાં આજે બપોરે 1 વાગ્યા બાદ 11 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. તલાલામાં 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોડીનારમાં 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે.
(10:44 am IST)