સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

કોડીનારના આલીદરમાં વ્યસન મુકિત અંતર્ગત વ્યાખ્યાન-ચિત્ર સ્પર્ધા થઇ

કોડીનાર તા.૧૪: કોડીનાર તાલુકાનાં આલીદર ગામે માધ્યમિક શાળામાં ગીર સોમનાથ જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા માધ્યમિક શાળાના આલીદરમાં વ્યસન મુીકત વિષય ઉપર વ્યાખ્યાન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાના શિક્ષક દિલીપભાઇ મકવાણાએ વ્યસનમુકિત પર વ્યાખ્યાન આપ્યુ હતુ.

સોશીયલ વર્કર તૃપ્તિબેન વ્યાસ દ્વારા તમાકુ નિષેધ પર વકતવ્ય આપ્યુ હતુ અને ચિત્ર સ્પર્ધામાં ૧ થી ૩ નંબરે આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્ય જગમાલભાઇ પરમારે વિદ્યાર્થીઓને વ્યસનમુકિત બને તે માટે શપથ લેવડાવી વાલીઓ પણ વ્યસનમુકિત માટે જાગૃત થાય તે માટે વ્યસનમુકિતની પત્રીકાનું પણ વિતરણ કરવામાં આવેલ.

(11:26 am IST)