સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

ભાવનગરમાં ૯૦ હજારની ઘરફોડી

સિંધી વેપારી લગ્ન પ્રસંગે જૂનાગઢ ગયેલ

ભાવનગર, તા. ૧૪ :. ભાવનગરમાં સિંધી વેપારી ભત્રીજાના લગ્ન પ્રસંગે જૂનાગઢ ગયા હતા ત્યારે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રોકડ તથા ઘરેણા મળી કુલ રૂ. ૯૦ હજારની મત્તાનો હાથફેરો કરી નાસી છૂટયા હતા.

ચોરીના આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના સિંધુનગર પાછળ આવેલા ગોપાલ પાર્ક પ્લોટ નં. ૨૦૦૦ / 'એ' મા રહેતા સિંધી વેપારી કૈલાસપતિ ભજનલાલ કિમતાણી તેના ભત્રીજાના લગ્ન પ્રસંગે પરિવાર સાથે જૂનાગઢ ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ દરવાજાનું સ્ટોપરનું હેન્ડલ તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રોકડા રૂ. ૭૫ હજાર તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ. ૮૯૫૦૦ની મત્તાનો ચરી કરી નાસી છૂટયા હતા.

બનાવની જાણ થતા જ બી-ડિવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

(11:24 am IST)