જામનગરના દરેડમાં ઘર સામે ઉભા રહેવાની ના પાડીને પ શખ્સોએ માર માર્યો
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪ : અહીં દરેડમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતી નિતાબેન ઘેલાભાઈ મગેરા ઉ.વ. ૩૬ એ પંચ બી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના ઘર સામે આરોપી વજુભાઈનો નાનો દિકરો ઉભો રહેતો હોય જેથી ફરીયાદીએ તેને ત્યાં નહી ઉભવાનું કહેલ જેનું મનદુઃખ રાખી ફરીયાદી તેના ઘર પાસેથી નીકળતા તા. ૯ ના રોજ આ કામેના આરોપીઓ વજુભાઈ આહીર, વજુભાઈનો દિકરો, પત્નિ, દિકરીઓએ જેમફાવે તેમ ગાળો કાઢી સાહેદ મનીષાબેન તથા પુષ્પાબેનને માર મારી ઝઘડો કરી ગુન્હો કરેલ છે.
ગેસ સીલીન્ડર પાછા ન આપી કર્મચારીએ છેતરપીંડી કર્યાની રાવ
સીટી એ પોલીસ સ્ટેશનમાં મિરલભાઈ કાંતીકુમાર મહેતા ફરીયાદ નોંધાવી છે કે, આજથી આશરે દોઢેક મહિના પહેલા, દિ.પ્લોટ પ૦, મહાવીર ગેસ એજન્સી, જામનગરમાં ફરીયાદી મિરલભાઈ મહાવીર ગેસ એજન્સીના મેનેજર હોય અને આરોપી મહમદરફિક હુશેનમિયા સૈયદ ત્યાં ડીલેવરી બોય તરીકે કામ કરતો હોય તે દરમ્યાન ગ્રાહકોને આપવા ના ગેસના પંદરેક બાટલા જે લીકેજ છે તેવું કહી પાછા લઈ જઈ પરત નહી કરી કિંમત રૂા.૪૦,પ૦૦/– ની પંદરેક ગ્રાહકો સાથે છેતરપીંડી કરી ગુનો કરેલ છે.
ટ્રકની પાછળ ઠોકર મારનાર ટ્રક ચાલકનું મૃત્યુ
રાજસ્થાનના બાડમેર ગામે રહેતા શંકર ધીમારામ બીન્નોય ઉ.વ. ૩૮ એ પંચ બી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૩ ના રોજ આ કામેના આરોપી ટેન્કર નં. જી.જે.૧૦–ટીએકસ–૩૩૪૪ નો ચાલક જબ્બરભાઈ નારાયણભાઈ આહીર ઉ.વ. પ૮ રહે. ભગવતીપરા રાજકોટવાળાએ પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના ટેન્કર નંબર આર.જે.૩૭–જીએ–૭પ૬૩ ની પાછળ ભટકાડી પોતાનો ટ્રક ડીવાઈડર ઉપર ચડાવી દેતા તેને શરીરે ગંભીર ઈજા થતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.
જોડીયામાં ઝેરી દવા પી લેતા વિપ્ર વૃઘ્ધનું મૃત્યું
અહીં પટેલ કોલોની શેરી નં. ૯ માં રહેતા અશોક ઝવેરીલાલ ત્રિવેદીએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૧ર ના રોજ જોડીયા ગામે આ કામે મરણ જનાર રાજીવભાઈ નયનભાઈ રાવલ ઉ.વ. ૬પ વાળાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.